વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું અવસાન ટીમ ઈન્ડિયાના પઠાણ અને પંડ્યા બંધુઓને આપ્યું હતું કોચિંગ
- 15 Feb, 2024
વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું.હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું, ,બે દિગ્ગજ ખેલાડીઓના અવસાન થી ક્રિકેટ જગત માં તેમજ તેમના ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી . પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયક શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા હતા.
જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા.તેમણે ઇરફાન અને યુસુફ પઠાણ તેમજ હાર્દિક અને કૃણાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. જસ્મીન નાયકે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેમણે 21 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ